Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જુનાગઢ ઝુમાં સિંહણ બાદ માદા વરૂને ત્યાં પણ પારણુ બંધાયુ

પાંચ વરૂના જન્મથી ઝુ સ્ટાફમાં ખુશી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૮ : જુનાગઢ ઝુમાં સિંહણ બાદ માદા વરૂને ત્યાં પણ પારણું બંધાયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જુનાગઢ સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તાજેતરમાં ડી-૯૮ સિંહણે એ-૧ સિંહ સાથેના મેટીંગથી પાંચ તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો હતો.

દરમ્યાન સકકરબાગ ઝુની માદા વરૂએ ગઇકાલે પાંચ જન્મ આપતા તેના પરિવારમાં વધારો થયો હતો.

સીસીએફ ડી.ટી.વસાવડાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, માદા વરૂ અને તેના નવજાત પાંચ બચ્ચાની તબિયત સારી છે. અને ઝુ સ્ટાફ દ્વારા તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

(12:23 pm IST)