Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

શનીવારે જામનગર ભાજપનું સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સ્નેહમિલન

રાઘવજીભાઇ પટેલ, બ્રિજેશભાઇ મેરજા, વિનોદભાઇ ચાવડા, પૂનમબેન માડમ સહિતના ઉપસ્થિત રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૮ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં તા. ૨૦ને શનીવારે સાંજે ૫ વાગ્યે ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે ભાજપ જામનગર જીલ્લા દ્વારા સ્નેહમિલન યોજાશે.

રાજ્યનાં પનોતા પુત્ર તથા ન્યુ ઇન્ડિયાના સ્વપ્તદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ગુજરાત અંત્યોદયના ઉત્થાન થકી સુશાસનના ફળ દેશના કોટિ કોટિ લોકો સુધી પહોંચાડ્યા છે. અત્યાર આપણે સૌ કાર્યકર્તાઓએ રાષ્ટ્રના સર્વાગી વિકાસની દિશામાં અગ્રેસર થવા આપણા નરેન્દ્રભાઇના હાથ મજબુત કરવા એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાર્થક કરવા નૂતન વર્ષમાં દ્રઢે સંકલ્પ લઇ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીએ.

આગામી વર્ષમાં પાર્ટીના સંગઠનને વધુ મજબુત કરવા તથા નવા સંકલ્પો લેવા માટે જિલ્લાનાં પ્રત્યેક બુથના પેજ કમિટીના સભ્યો સુધીના કાર્યકર્તાઓને પધારવા નિમંત્રણ પાઠવ્યુ છે.

આ તકે રાઘવજીભાઇ પટેલ (કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર), શ્રી પૂનમબેન માડમ (સંસદ સભ્ય, જામનગર), વંદનાબેન મકવાણા (જિલ્લા સંગઠન પ્રભારી, જામનગર), વિનોદભાઇ ચાવડા (ઝોન મહામંત્રીશ્રી, ગુજરાત પ્રદેશ ભાજપ), બ્રિજેશભાઇ મેરજા (રાજ્યમંત્રીશ્રી, ગુજરાત સરકાર), જેન્તિભાઇ કવાડીયા (જિલ્લા સંગઠન પ્રભારી, જામનગર) ધરમશીભાઇ ચનિયારા (પ્રમુખ જિલ્લા પંચાયત, જામનગર) ઉપસ્થિત રહેશે.

આગેવાનો-કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા રમેશભાઇ મુંગરા (અધ્યક્ષશ્રી, જિલ્લા ભાજપ), દિલીપભાઇ ભોજાણી-પ્રવિણસિંહ જાડેજા -મનોજભાઇ જાની (મહામંત્રી, જિલ્લા ભાજપ) જામનગર જિલ્લા ભાજપ પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે.

(12:24 pm IST)