Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કાલે કારતક સુદ પૂનમના પાવન પર્વે

સાવત્થી તીર્થધામ ખાતે નવ્વાણું પ્રકારી મહાપૂજા-પટ્ટદર્શન પૂર્વક ૨૧ ખમાસમણાનું ભાવભીનું આયોજન

પૂ.આ.દેવ જિનચન્દ્રસુરીશ્વરજી મ.સા., પૂ.આ.દેવ શરદચન્દ્રસુરિશ્વરજી મ.સા., પૂ.મુનિપ્રવર અજિતચન્દ્રવિજયજી મ.સા.ની પાવન મિશ્રા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર,તા. ૧૮ : રાજકોટ-અમદાવાદ હાઇવે સ્થિત બાવળા પાસે આવેલ સાવત્થી તીર્થધામ ખાતે કાલે વર્ષાકાળમાં થયેલ વિવિધ ધર્મ આરાધનાની અનુમોદનાર્થે તથા પર્યુષણ મહાપર્વમાં થયેલ વિશિષ્ટ આરાધનાના ઉપલક્ષમાં સર્વ વિધ્ન હરણી સર્વમનોકામના પૂરક મહામંગલકારી શ્રી નવ્વાણું પ્રકારી મહાપૂજા તથા શ્રી સિધ્ધાચલજી, શ્રી ગિરનારજી તથા સમ્મંતશિખરજીના પટ્ટદર્શન પૂર્વક ૨૧ ખમાસમણાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સાવત્થી તીર્થ સર્જક એવં પ્રતિષ્ઠાચાર્ય ઉપસર્ગ વિજેતા તપાગચ્છાચાર્ય પૂ.આ.દેવ શ્રીમદ વિજય જિનચન્દ્રસુરીશ્વરજી મ.સા., સૌમ્યમૂર્તિ મધુરભાષી પૂ.આ. દેવ શ્રીમદ્ વિજય શરદચન્દ્રસુરીશ્વરજી મ.સ. તથા અખંડ ગુરૂસેવા સમર્પિત-શિલ્પકલા નિપુણ પૂ.મુનિપ્રવરશ્રી અજિતચન્દ્ર વિજયજી મ.સા. આદી મુનિગણ પ્રેરણાદાયી નિશ્રા પ્રદાન કરશે.

સમગ્ર પ્રસંગે સંગીતકાર આશુતોષ વ્યાસ તથા ટીમ પ્રભુ ભકિત કરાવશે. અમદાવાદના દિનેશભાઇ પરીખ પૂજન સહાયતા કરશે. જ્યારે ભારતનું પ્રખ્યાત હિન્દ જીયાબેન્ડ વરઘોડામાં વાદન કરશે. આ પ્રસંગે સાવત્થી તીર્થધામ ખાતે ભાવિકોને પધારી લાભ લેવા સંભવનાથ જિનમંદીર ટ્રસ્ટ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૪૦ ૧૦૩૩૨ ઉપર સંપર્ક કરી શકાશે.

(2:58 pm IST)