Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વાંકાનેરમાં પંજાબના આપના ધારાસભ્‍ય જશબીરસિંહ સાહુ

વાંકાનેર : આમ આદમી પાર્ટીના નવા કાર્યાલય હાઇવે ખાતે ૬૭ વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઇ સોરાણીના સમર્થનમાં પંજાબના ધારાસભ્‍ય જશબીરસિંહ સાહુએ કાર્યાલય ખાતે ઉપસ્‍થિત પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની સાથેજ અમે ૮૦ ટકા લોકોના આગલા વીજ બીલ માફ કરી દીધા છે. અહીં ગુજરાતમાં અમારી સરકાર બનશે તો અમે પુરા ગુજરાતમાં ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપવાની ગેરંટી આપીએ છીએ. ઉમેદવાર વિક્રમભાઇ સોરાણીએ જણાવેલ કે, મોંઘવારી, જાતિવાદ અને ભ્રષ્‍ટાચાર દુર કરવા અમારી તાકાત આ પ્રસંગે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તૌફીક અમરેલીયા તથા કાર્યકરો હાજર રહયા હતા. (તસ્‍વીર : અહેવાલ : મહમદ રાઠોડ - વાંકાનેર)

(11:48 am IST)