Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ખાંભાના મુંજીયાસરમાં કેન્‍સરની બિમારીથી કંટાળીને આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૮ : ખાંભા તાલુકાના મુંજીયાસર ગામે રહતા બાલુભાઇ વિઠલભાઇ સાવલીયા (ઉવ.૬૫) ને છેલ્લા છ માસથી મોઢાનું કેન્‍સર હોય જેથી માનસીક ટેન્‍શન રહેતુ હોય અને મોઢાનો દુખાવો સહન ન થતા કંટાળી પોતાની મેળે ખેતરના કુવામાં પડી જતા મોત નિપજ્‍યાનું દિનેશભાઇ વિઠલભાઇ સાવલીયાએ ખાંભા પોલીસમાં જાહેર કરેલ છે.

આપઘાત

મુળ એમપીના હાલ સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે રહેતી સુશીલાબેન વેલીયાભાઇ વસાવા (ઉવ.૧૯)ને પોતાના વતનમાં જવું હોય પરંતુ કાકા થાવરીયાભાઇ રામલીયાભાઇ પસાયાએ હમણા કપાસની સીઝન હોય જે પુરી થઇ ગયા પછી જવાનું કહેતા પોતે પોતાની મેળે પોતાના ઘરે ઢેલના લોખંડના કડા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્‍યાનું થાવરીયાભાઇ પસાયાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર કરેલ છે.

જુગાર

ખાંભાના ડેડાણ ગામે જાહેરમાં આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમાડતા હસમુખ જીણાભાઇ વાળા, શામજી લખમણભાઇ ગરેણીયા, જાહીદ ઉસ્‍માનભાઇ ખોખરને પો.કોન્‍સ. મનીષસિંહ ઝાલાએ રોકડ રૂા. ૧૮૦૦ સાહીત્‍ય અને બે મોબાઇલ રૂા. ૧૦,૦૦૦ મળી કુલ રૂા. ૧૦,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(2:45 pm IST)