Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

એટ્રોસીટીના ગુનામાં ફરાર મસીતીયાનો શખ્‍સ ઝડપાયો

જામનગર તા.૧૮ : જામનગર જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એસઓજીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.એન.ચૌધરીને સુચના કરેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી.ના સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.

દરમિયાન એસ.ઓ.જીના સ્‍ટાફના રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ તથા અરજણભાઇ કોડીયાતરને બાતમી હકિકત મળેલ કે જામનગર સીટી એ ડવી પો. સ્‍ટે.ગુ.ર.નં.૧૧ર૦ર૦૦૮રર૦૯૦૩ - ર૦રર ઇ.પી.કો.કલમ ૩ર૩, પ૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (૧) (આર)(એસ), ૩(ર) (પ-ઓ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી આસીફ ઉર્ફે મુળુ ઉર્ફે ભુરો હનીફ ખીરા રહે. મસીતીયા વાળો ફરાર હોય અને હાલ પવનચકકી પાસે બેઠેલ હોયજેની સદર જગ્‍યાએ જતા  કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી એ ડીવી પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

(1:28 pm IST)