Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જુનાગઢમાં ઉકાળાનું વિતરણ

જુનાગઢ : દીર્ઘ જીવી હનુમાન ગિરનાર દરવાજા જુનાગઢ દ્વારા ઉકાળાનું વિનામૂલ્‍યે  વિતરણ કરાયુ હતુ. શિયાળામાં થતાં રોગો સામે રક્ષણ મેળવવા અને શરીરના દોષો દુર કરવા માટે ઉપયોગી હરડે કડુ કડીયાતુ વગેરે રપ ઔષધી દ્વારા બનતો ઉકાળો વિનામૂલ્‍યે પીવડાવવામાં આવ્‍યો જેમાં આશરે ર૦૦ જેટલા બધી ઉમરના લોકોએ દિવાનચોક સુભાષ પાણીપુરી પાસે લાભ લીધો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવામાં સુભાષભાઇ વસ્‍વેલિયા, પ્રભુદાસભાઇ સોનિગ્રા, હસમુખભાઇ રાઠોડ ખુબ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:37 pm IST)