Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જગદગુરૂ શંકરાચાર્યજીની ઉપસ્‍થિતિમાં સોમવારે પોરબંદરમાં વિશાળ ધર્મસભા

સ્‍વામીશ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ અને પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પાવન ઉપસ્‍થિતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮:  સોમવારે પોરબંદરમાં સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ, પૂભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પાવન ઉપસ્‍થિતિમાં વિશાળ ધર્મસભા યોજાશે.

અનંતશ્રી વિભૂષિત દ્વારકાપીઠાધીશ્વર જગદ્‌્‌ગરુ શંકરાચાર્ય પ.પૂ. શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ આપણાં પોરબંદરના આંગણે તા. ર૧-૧૧-ર૦રર ને સોમવાર ના રોજ પધારી રહ્યા છે. અને આ ધર્મસભામાં પોરબંદર જીલ્લાના સાધુસંતો અને રાજકીય  મહાપુરૂષો ઉપસ્‍થિત રહેશે.

ભાવિકોને સાંજે ૪-૩૦ થી ૬-૩૦ સુધી શ્રી સાંદીપનિ ઓડીટોરયમ (સભાગૃહ)  પોરબંદર ખાતે ઉપસ્‍થિત રહેવા શ્રી સાંદીપનિ પરિવાર, શ્રી ભારતીય સંસ્‍કૃતિ સંવર્ધક ટ્રસ્‍ટ, શ્રી હરિમંદિર સેવા ટ્રસ્‍ટ, શ્રી સત સાહિત્‍ય પ્રકાશન ટ્રસ્‍ટ અને દેશ-વિદેશમાં ચાલતી સાંદીપનિની તમામ શાખા પરિવાર  દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(1:39 pm IST)