Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જામજોધપુરનાં મોટી પાનેલીમાં રાત્રે સંતવાણી

રાજકોટ તા. ૧૯ :.. આજે તા. ૧૯ જાન્‍યુઆરીની રાત્રે જામજોધપુર મોટી પાનેલીમાં સ્‍વ. જીવણભાઇ બારોટની શ્રધ્‍ધાંજલી નિમિતે ભવ્‍ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સુપ્રસિધ્‍ધ ભજનીક વિષ્‍ણુપ્રસાદ દવે (પ્રસાદજી) તથા દેવરાજ ગઢવી તથા વિપુલ પ્રજાપતિ તથા મેહુલ બારોટ ભજનીકો કાર્યક્રમનો લાભ આપશે. સમસ્‍પ મોટી પાનેલી ગામના આગેવાનો તથા સર્વ મિત્ર મંડળ આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી કરી રહ્યા છે.

લાભ લેવા આયોજક, મહેશ બારોટ તથા બકુલ બારોટ તથા ગ્રામજનો, મોટી પાનેલી (મો. ૯૯રપ૦ ૧૮૯પ૧) એ આમંત્રણ પાઠવ્‍યું છે.

(10:41 am IST)