Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

બ્રહ્મસેવા ટ્રસ્‍ટ ગોંડલ દ્વારા ૧૦૧ બ્રાહ્મણ પરિવારોને રાશનકીટ અ૫ાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯ : બ્રહ્મસેવા ટ્રસ્‍ટ દ્વારા મકરસંક્રાંતિ નિમિતે ૧૦૧  આર્થીક નબળી પરિસ્‍થિતિના બ્રહ્મ પરીવારો અને ગંગાસ્‍વરૂપ બહેનોને રાશનકીટ અર્પણ કરાઇ હતી . રાશનકીટમાં ઘઉંનો લોટ ચોખા ખીચડી તુવેરદાલ ખાંડ ચા, ચણાદાળ, બેશન, ગોળ, તેલ, મરચુ ધાણાજીરું, હળદર, મીઠું કપડાં ધોવાનો પાઉડર નાહવા તથા ધોવાના સાબુ મમરા જેવી વસ્‍તુઓ બ્રહ્મ પરિવારોને અર્પણ કરવામાં આવી હતી. જેમાં શ્રીરામજીમંદિરના ગાદીપતિ પૂજ્‍ય  જેરામદાસજી બાપુ તેમજ  યતીસભાઈ ગોવિંદભાઇ દેસાઈ. ડો લલિત અંબાણી, ભીખુભાઇ પોપટ, કુંદનબેન જેરામભાઈ ઠુંમરનો સહયોગ મળ્‍યો હતા.ે આ તકે ગોંડલના ભામાસા મસ્‍ક્‍ત નિવાસી દિલીપભાઈ મહેતા ઉપસ્‍થિત રહીને  બ્રહ્મસેવા ટ્રસ્‍ટની કામગીરી બિરદાવી હતી.  આ બ્રહ્મસેવાના કાર્યમાં રામજીમંદિરના  કિશોરભાઈ ઉનડકટ, રાજુભાઇ ઉનડકટ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં  બ્રહ્મ સેવા ટ્રસ્‍ટના  વિજયભાઇ ભટ્ટ, અજયભાઈ રાવલ, જેમીનભાઈ ભટ્ટ, ભરતભાઇ ભટ્ટ, કિશોરભાઈ દવે, હેનીલ જોશી, મહેશભાઈ પંડ્‍યા, યશવંતભાઈ રાવલ, દીપેન્‍દ્ર ઠાકર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(10:46 am IST)