Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જૂનાગઢ ઔદિચ્‍ય ઝાલાવાડી જ્ઞાતિની વાડીનું નવીનીકરણ પૂર્ણ થતા યજ્ઞ યોજાયો 

 જુનાગઢ : ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મ સમાજની વાડી સર્કિટ હાઉસ સામેના નવીનીકરણ તેમજ ફેરફાર કરેલ આધુનિક બાંધકામના પ્રસંગે વાડીમાં યજ્ઞ અને ગ્રહશાંતિ  રાખેલ. જેમાં મુંબઈ બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટના ચેરમેન દિનેશભાઈ જોષી,  કનુભાઈ જોષી, અરુણભાઈ જોષી, જીતેન્‍દ્રભાઈ જોષી, જયસુખભાઈ ભટ્ટ, કૌશિકભાઈ ઠાકર વગેરે હાજર રહેલ અને યજ્ઞના યજમાન તરીકે  હતા. આ પ્રસંગે વિદ્યાર્થી ર્બોડિંગ તથા વાડીના પ્રમુખ પ્રફુલભાઈ જોષી  ટ્રસ્‍ટી હસુભાઈ જોષી સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ  સમાજના જિલ્લા પ્રમુખ કે ડી પંડ્‍યા, પૂર્વ પ્રમુખ છેલભાઈ જોષી, મંત્રી મહેશભાઈ જોષી, પ્રવક્‍તા શૈલેષ પંડ્‍યા, દાતારસેવક બટુકબાપુ વગેરેએ મુંબઈથી ઉપસ્‍થિત બ્રહ્મ સમાજના મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્‍માન કરેલ હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(10:49 am IST)