Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજનું ગોધરા-સુરતમાં પ્રવચન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૯ : નિરંકારી મિશનના સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ખુશખબર મળતા જામનગર સહિત ગુજરાતભરનાં નિરંકારી શ્રધ્‍ધાળુ ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

સ્‍થાનિક સંયોજક શ્રી મનહરલાલ રાજપાલજીએ જણાવ્‍યું કે, આગામી તારીખ ૨૩ના સવારે ૧૧ થી ૨ વાગ્‍યા સુધી ગોધરા સ્‍થિત પંચમહાલ ડેરીની નજીક વિશાળ મેદાન તેમજ તારીખ ૨૪ના રોજ ૧૧ થી ૨ સુધી સુરતમાં સદગુરૂ માતા સુદીક્ષાજીનું મહારાજના સાનિધ્‍યમાં વિશાળ નિરંકારી સંત સમાગતનું આયોજન કરવામાં આવેલ છે.

તેઓએ જણાવ્‍યું કે, આ નિરંતકારી સંત સમાગમમાં જામનગર સહિત ગુજરાતભરનાં શ્રધ્‍ધાળુઓ સદગુરૂ માતાજીનાં દર્શન કરીને તેમની દિવ્‍યવાણી શ્રવણ કરશે.

(10:50 am IST)