Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગાંધીધામના વ્‍યાજખોર વિરૂધ્‍ધ ત્રણ ફરિયાદો : રૂપિયા વસૂલ કર્યા બાદ ચેક લખાવી ફરી વસુલાત માટે માનસિક ત્રાસ આપ્‍યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : કચ્‍છના નખત્રાણામાં વ્‍યાજખોર સામે મોટા પાયે ફરિયાદ થયા બાદ હવે ગાંધીધામના ભરતનગરમાં જનતા કોલોનીમાં રહેતા વ્‍યાજખોર મહેન્‍દ્ર માવજી ભાનુશાલી વિરૂદ્ધ એક સામટી ત્રણ ફરિયાદ થઈ છે.

ભુજના માધાપર ગામે રહેતા રમેશ ભાનુશાલીએ વ્‍યાજના રૂપિયા બાબતે ચેક લખાવી અને બેંકમાં ચેક નાખી ચેક બાઉન્‍સ કરાવી રૂ. ૮ લાખની છેતરપિંડી કરવાની ફરિયાદ મહેન્‍દ્ર માવજી ભાનુશાલી વિરૂદ્ધ કરી છે. આ જ શખ્‍સ મહેન્‍દ્ર માવજી ભાનુશાલી વિરૂદ્ધ વધુ બે ફરિયાદ ગાંધીધામના જયોતિબેન હિતેશ ચૌહાણે રૂ. ૧૬.૪૬ લાખની તેમજ આદિપુરમાં રહેતા હીનાબેન વિકાસ ઠક્કરે રૂ. ૯.૮૦ લાખની ઠગાઈ કર્યા અંગે ફરિયાદ કરી છે.

તમામ ફરિયાદમાં આકરા વ્‍યાજ સાથે રૂપિયા વસુલ્‍યા બાદ ચક્રવૃદ્ધિ વ્‍યાજ લગાવી બેંકના ચેક લખાવી અને ચેક બાઉન્‍સની ફરિયાદનો સમાવેશ છે.

 

(10:59 am IST)