Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

કચ્‍છમાં તસ્‍કરોનો તરખાટ : ગાંધીધામના દેરાસરમાંથી ભગવાનની મૂર્તિ ચોરાઇ

પヘમિ કચ્‍છમાં રામદેવપીર મંદિર સહિત અન્‍ય મંદિર ચોરીઓનો ભેદ વણઉકેલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : સરકારની સલામત ગુજરાતની વાતો વચ્‍ચે સરહદી કચ્‍છ જિલ્લામાં હવે જાણે દેવાલયો પણ સલામત નથી એવી પરિસ્‍થિતિ તસ્‍કરોએ સર્જી છે.

ગાંધીધામ શહેરમાં ધમધમતા વિસ્‍તાર ચિંતામણી સર્કલ પાસે આવેલા જૈન દેરસરમાંથી તસ્‍કરો શાંતિનાથ ભગવાનની મૂર્તિ ઉઠાવી ગયા છે. તેની સાથે દાન પેટીમાંથી રોકડ અને ચાર્જીંગમાં રાખેલ મોબાઈલ ચોરી ગયા છે. પૂજારી હરેશ ધનજી જોષીએ ૨૨ હજારની ચોરીની ફરિયાદ નોંધાવી છે. જોકે, કચ્‍છના સતત મંદિર ચોરીના બનાવો વધી રહ્યા છે.

પヘમિ કચ્‍છના લખપતના લોકોએ ત્‍યાં રામદેવપીર મંદિરમાંથી થયેલ ચોરીના બનાવને પગલે આક્રોશ ઠાલવી આવેદનપત્ર પણ આપ્‍યું છે. ત્‍યાં હવે દેરાસરમાં ચોરીનો બનાવ બનતા જૈન સમાજમાં પણ નારાજગી ફેલાઈ છે.

(2:13 pm IST)