Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પડધરીના ન્‍યારા ગામમાં ઝેરી દવા પી લેતાં દાહોદની જ્‍યોતિનું મોત

રાજકોટ તા. ૧૯: પડધરીના ન્‍યારા ગામે રામભાઇ વાડોદરાની વાડીએ રહી મજૂરી કરતાં સુરેશ અમલીયારની પત્‍નિ જ્‍યોતિ (ઉ.વ.૨૪)એ ગઇકાલે સવારે છએક વાગ્‍યે ખડમાં નાખવાની દવા પી લેતાં ઝેરી અસર થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પડધરી પોલીસને જાણ કરાઇ હતી.

જ્‍યોતિને સંતાનમાં બે પુત્રી છે. પોતે પતિ સાથે રહી મજૂરી કરતી હતી. આ પરિવાર મુળ દાહોદનો છે. દિકરીની માનતા ઉતારી ગઇકાલે જ તેણી વતનથી ફરી ન્‍યારા ગામે આવી હતી. એ પછી આ પગલુ ભર્યુ હતું. કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(2:06 pm IST)