Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

તાલાલામાં લોહાણા મહાજન દ્વારા વિરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિતે વિવિધ કાર્યક્રમો

યોગેશભાઇ લાખાણીએ આમંત્રણ પાઠવતા શ્રી રામધામના ટ્રસ્‍ટીઓ, કાર્યકરો ઉપસ્‍થિત રહેશેઃ વિનુભાઇ કટારીયા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૧૯: સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાત-કચ્‍છ રઘુવંશી  પરીવારો દ્વારા શ્રી રામધામ (જાલીડા) ખાતે રઘુવંશી સમાજના એક માત્ર ધારાસભ્‍ય  જીતુભાઇ સોમાણીના ભવ્‍ય સન્‍માન સમારંભ યોજાયો હતો.

તેમાં સમગ્ર ગુજરાતમાંથી પધારેલ રઘુવંશી સમાજના શ્રેષ્‍ઠીઓ, મહાજન અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્‍થાના આગેવાન ભાઇઓ-બહેનોની ઉપસ્‍થિતિ રહી હતી ત્‍યારે  સન્‍માન સ્‍થળ યોજાયેલ મહાસંમેલનમાં આશરે ૧૦૦ કરોડના ખર્ચે રામધામ  નિર્માણકાર્યમાં પણ દાનનો પ્રવાહ થયો હતો.

તે દરમ્‍યાન તાલાલા મહાજન પ્રમુખ યોગેશભાઇ લાખાણી  પણ ઉપસ્‍થિતિ હોઇ ત્‍યારે આગામી તા. રર-૧-ર૩ના રોજ વિરદાદા જશરાજના શોર્યદિન તરીકે તાલાલા મહાજનના ઉપક્રમે વિવિધ કાર્યક્રમ સાથે સાથે વડીલ વંદના કાર્યક્રમમાં તાલાલા મહાજન તરફથી શ્રી રામધામના ટ્રસ્‍ટીઓ-આગેવાનો, કાર્યકર્તાઓને પધારવાનું આમંત્રણ આપેલ હોઇ આ શૌર્યદિન પ્રસંગે શ્રી રામધામના નિર્માણ કાર્યમાં તાલાલા મહાજનનું યોગદાન મળ્‍યું છે.

રામધામ ટ્રસ્‍ટને તાલાલા મહાજનના દ્વારે રામધામનું પણ આયોજન કરેલ હોઇ ત્‍યારે વિરદાદા જશરાજજીના શૌર્યદિન કાર્યક્રમમાં હાજરી આપવા શ્રી રામધામ ટ્રસ્‍ટ અને કાર્યકરોએ તાલાલા જવા ઉત્‍સાહ બતાવેલ છે.

આ કાર્યક્રમમાં રાજકોટ, મોરબી, ટંકારા, કુવાડવા, વાંકાનેર, જસદણ, ચોટીલા વગેરે  શહેરોમાંથી બહોળી સંખ્‍યામાં હાજરી આપવા તાલાલા પહોંચશે.

(2:06 pm IST)