Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ધોરાજીનાં બિપીનભાઇ પરમારનું અવસાન થતા ચક્ષુદાનઃ માનવ સેવા યુવક મંડળને ૧૦૦મુ ચક્ષુદાન મળ્‍યુ

ધોરાજી તા. ૧૯ :.. ધોરાજીના સામાજીક અગ્રણી એવા બીપીનભાઇ પરમારનું અવસાન થતા પરીવારજનો દ્વારા ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીનો સંપર્ક કરી ચક્ષુદાન કરવા જણાવતા સરકારી હોસ્‍પીટલના અધિકક્ષ ડો. જયેશ વેસેટીયન અને મેડીકલ ટીમનાં નૈમીશ સજીયા, દિપક ભાસ્‍કર, અને દિનેશ રાઠોડ સહિતના એમ્‍બુલન્‍સ મારફત સ્‍વ. બિપીનભાઇ પરમારને ઘેર ચક્ષુદાનની પ્રક્રિયા કરેલ અને માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ દ્વારા કજોટ સરકારી જી. ટી. શેઠ હોસ્‍પીટલ ખાતે પહોંચતા કરેલ હતાં.

આ તકે જયદીપભાઇ બીપીનભાઇ પરમાર, સોનલબેન ઉકરાણી, પ્રિયંકભાઇ કાચા, નિલેશભાઇ ઉકરાણી, પાર્થભાઇ જાગાણી સહિતના હાજર રહેલ.

આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ પરમાર પરીવારની સેવાઓને બીરદાવી સ્‍વ.ને શ્રધ્‍ધા સુમન અર્પણ કરેલ હતાં.

માનવ સેવા યુવક મંડળને ૧૦૧ મું ચક્ષુદાન મળેલ છે.

(11:53 am IST)