Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વેરાવળ પ્રભાસપાટણમાં છ વ્‍યાજખોરો સામે ગુનો નોંધાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: પ્રભાસપાટણમાં ૧૦ ટકા વ્‍યાજે રકમ આપી મકાનો વેચાવી તેમ છતા લાખો રૂપીયા વ્‍યાજ ના માંગતા હોય તેમજ બેંકમાં ચેકો નાખી ફરીયાદ કરવાની ધમકી આપતા હોય તે બે ગુનામાં છ વ્‍યાજખોરો સામે ફરીયાદ નોધાય છે.

વેરાવળ બાયપાસ રોડ ઉપર રહેતા પાનબીડીનો ધંધો કરતા સંજય સરમણ રામે સુપાસી ના વિક્રમ લાખા રામ, મેઘપુર કાના રામભાઈ જેઠવા, તાતીવેલા ભગા સતરરામભાઈ રામ તેના પત્‍ની અલ્‍પાબેન ભગાભાઈ રામ પાસેથી પહેલા ૧૦ ટકા લેખે ૩૦ હજાર વ્‍યાજે લીધેલ હતા તેના ૮૦ હજાર ચુકવી આપેલ હોય તેમ છતા વધુ દોઢ લાખ વ્‍યાજ ની માંગણી કરી પઠાણી ઉધરાણી કરતા હોય જેથી મેધપુર ગામ કાના રામભાઈ જેઠવા પાસેથી એક લાખ ૧૦ વ્‍યાજે લીધેલ હતા તેને મકાન વેચી રૂા.૮ લાખ ચુકવી દીધેલ હોય તેમ છતા વધુ રૂા.૯ લાખની માંગણી કરેલ હોય તેમજ કોરો ચેકો લખાવી દીધેલહતા તે રીર્ટન કરાવી ફરીયાદ કરેલ હતી ચારેય આરોપીઓ વારંવાર હેરાન પરેશાન કરતા હોય દરરોજ રૂપીયાની માંગણી કરતા હોય તેવી ફરીયાદ નોધાવેલ છે.

પ્રભાસપાટણ પોલીસમાં સુપાસી ગામના હરસુખભાઈ જાદવભાઈ સોલંકી એ જગમાલભાઈ જોટવા પાસેથી ૧,પ૦,૦૦૦ ૧૦ટકા વ્‍યાજે લીધેલ હતા દર મહીને ૧પ૦૦૦ વ્‍યાજ આપતા હતા દોઢ વ્‍યાજતથા પેન્‍લટી ચુકવી દીધેલ હોય વધુ અઢી લાખ વ્‍યાજ સાથે માંગણી કરતા હોય અને ધાકધમકી આપતા હોય જેથી તેજ ગામમાં રહેતા સંજયગીરી ઝેવેરગીરી પાસે થી વ્‍યાજ ચુકવવા માટે રૂા.ર૮૦૦૦ લીધેલ તે પણ એક લાખ રૂપીયા માંગતો હોય બન્‍ને શખ્‍સો હેરાન પરેશાન કરી ધમકી આપતા હોય તેવી ફરીયાદ નોધાવેલ છે.

(1:45 pm IST)