Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમરાપુરમાં તળપદા કોળી સમાજના ૨૧મા સમુહ લગ્નોત્સવમાં ૨૯ નવયુગલોના પ્રભુતામાં પગલા

કેન્દ્રીય મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા

બામણબોરઃ અમરાપુર ખાતે ૨૧મા તળપદા કોળી સમાજના સમુહલગ્નોત્સમાં ૨૯ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં. જસદણ વિછીયા કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોવિડની ગાઇડલાઇન મુજબ આ સમુહલગ્નોત્સવ યોજાયો હતો. કેબીનેટ મંત્રી અને જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા પણ આ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહ્યા હતાં. દિકરીઓને સમુહ લગ્ન સમિતી અને દાતાઓ તરફથી અનેક ભેટ સોગાદો આપવામાં આવી હતી. કોળી સમાજના પ્રમુખ વિનોદભાઇ દ્વારા શિક્ષાપત્રી અપાઇ હતી. અગ્રણીઓ આંબાભાઇ ઓળકીયા, સુરેશભાઇ ધરજીયા, નાગરભાઇ જીડીયા, જેશાભાઇ સોલંકી, પ્રેમજીભાઇ રાજપરા, કડવાભાઇ જોગરાજીયા, ખોડાભાઇ ખસીયા, મનસુખભાઇ જાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. સમુહલગ્નને સફળ બનાવવા દેવશીભાઇ મુખી, શામજીભાઇ ધોરીયા, કેશુભાઇ કુમારખાણીયા, દેવરાજભાઇ ગઢાદરા, વલ્લભભાઇ રાજપરા, અમરાપુર શૈક્ષણિક સંકુલના છાત્ર ભાઇ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન જયંતિભાઇ રાજપરાએ કર્યુ હતું.

(11:35 am IST)