Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન: વિંછીયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે ચાલુ

જસદણ વિંછીયા વિસ્તારમાં કૂલ 28 જેટલી માઈક્રો ઈરીગેશન યોજનાઓ કાર્યરત છે અને 8 જેટલી કેનાલ થકી આ વિસ્તારોમાં પાણી પુરુ પાડવામાં આવે છે.

રાજકોટનો વિંછીયા તાલુકો સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. ઓછો વરસાદ ધરાવતા આ વિસ્તારની જમીન કઠણ અને પથરાળ હોવાથી આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ ઓછો થઇ શકે છે. આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓએ તળાવોને ઊંડા કરવા તેમજ પાળાઓ મજબૂત કરવાનું કામ એકદમ ત્વરાથી કરવામાં આવી રહ્યુ છે. જસદણ વિંછીયા વિસ્તારમાં કૂલ 28 જેટલી માઈક્રો ઈરીગેશન યોજનાઓ કાર્યરત છે અને 8 જેટલી કેનાલ થકી આ વિસ્તારોમાં પાણી પુરુ પાડવામાં આવે છે.

(10:36 am IST)