Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

માતાના મઢ-કચ્‍છ ખાતે આજે રાત્રે હોમાદિક ક્રિયા ઉત્‍સવ

સરકારશ્રીના નિયમોનુસાર પુજારી, સેવકગણ, બ્રાહ્મણો દ્વારા સાદગીપુર્ણ હોમાદિક ક્રિયા થશે : આજે રાત્રે રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી ૧૨:૩૦ કલાકે હવનમાં બીડુ હોમશે : હાલના સંજોગો ધ્‍યાને લઇ મંદિર અચોક્કસ સમય સુધી બંધ રહેશે

રાજકોટ : ભારતીય સંસ્‍કળતિમાં શકિત ઉપાસનાનું સ્‍થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરાશકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રિ ભવ્‍ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનુ ૧૯ મી સદીનું ભવ્‍ય તિર્થધામ છે. સૌરાષ્‍ટ્ર ગુજરાત, મહારાષ્‍ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્‍યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્‍ધા ગણના થાય છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની વિશાળ ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ, મુખ્‍ય મંદિર ૫૮ ફુટ લાંબુ અને ૩૨ ફુટ પહોળો છે. માં આશાપુરાની વિશાળ કદની ૬ ફુટની મૂર્તિ છે.

માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનુ અતિ ભારે મહત્‍વ છે. લાખોની સંખ્‍યામાં માંની માનેલ માનતા અને શ્રધ્‍ધા આસ્‍થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. ચૈત્રી સુદ-૭, સોમવાર, આજ રાત્રીના ૮ : ર૫ કલાકે રાજા બાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના અધ્‍યક્ષસ્‍થાને ગોર મહારાજશ્રી દેવકળષ્‍ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોની હોમાદિક ક્રિયા આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્‍લોક, સંક્રાતિપાઠ, માના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્‍યરાત્રીએ રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિહજી રાત્રીના ૧૨:૩૦ કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે. સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદરજ હનુમાનજી, ગણેશજી, શંકર-પાર્વતી, ચાચરા ભવાની, ખેતરપાળ દાદા તેમજ બાજુમાં હિંગળાજ માનું ભવ્‍ય મંદિર આવેલ છે. આરતીનો સમય સવારના ૫ વાગ્‍યે મંગળા આરતી, સવારે ૯:૦૦ કલાકે ધૂપ ભાવિકોને વિનામૂલ્‍યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. સરકારશ્રીના નિયમોનુસાર સમગ્ર હોમાદિક ક્રિયા સાંદગી પૂર્વક કરવામાં આવશે રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી માં આશાપુરાને વંદનપુર્વક -ાર્થના કરશે. ઉમગ દેશવાસીઓને કોરોના ભયંકર રોગથી મુકિત આપે તેવી માં આશાપુરાને વંદન પૂર્વક પ્રાર્થના કરશે.

 માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરશે. માં આશાપુરાના ભકતોને લાઇવ દર્શન તથા હોમાદિક ક્રિયા વિધિના દર્શન કરવા માટે WWW.MATANAMADH.ORG વેબસાઇટ દ્વારા આપ નીહાળી શકશો. વિનોદભાઇ પોપટ : મો.નં. ૯૯૭૯૯ ૦૭૨૧૮.

(1:03 pm IST)