Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

બોટાદમાં મકાન પડી જતાં મોટુ નુકસાન

બોટાદમાં વાવાઝોડાની અસરને કારણે તંત્રવાહકોએ ૧૪૪મી કલમ અમલમાં મુકી હતી. વાવાઝોડામાં અનેક કાચા મકાનોને નુકસાન થયું છે. તસ્વીરમાં પ્રજાપતિ કિરીટભાઇ ખોખર કે જે ગામમાં નારાયણનગર સોસાયટીમાં રહે છે અને તાવડીના ધંધાર્થી તરીકે જાણીતા છે તેમનું મકાન પડી જતાં અંદર તૈયાર કાચો માલ પણ હોઇ તેમાં મોટુ નુકસાન થયું હતું. તેમ ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.

(11:42 am IST)