Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોટડાસાંગાણી રાજપરા વચ્ચે વાવાઝોડાથી પડેલ બાવળ હજુ સુધી ન હટાવતા વાહન ચાલકો હેરાન પરેશાન

(કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણી, તા. ૧૯: કોટડાસાંગાણી રાજપરા રોડ પર વાવાઝોડા ના કારણે પડી ગયેલ બાવળને હટાવવા મા તંત્ર વામળુ સાબીત થયુ હતુ મંગળવારની રાત્રીના પડેલ બાવળ બુધવારના સવારના સુધી હટાવવામાં આવેલ ન હતો.

જેના કારણે અહીથી પસાર થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા અને રાજપરા તેમજ કોટડાસાંગાણી જવા માટે વાહન ચાલકોને વાયા ભાડવા થઈ ને જવાની ફરજ પડી હતી.વાવાઝોડા દરમિયાન સ્ટેન્ડ ટુની વાતો કરતુ તંત્ર ચોવીસ કલાક બાદ પણ બાવળ ન હટાવતા વાહન ચાલકોમા રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.

(11:25 am IST)