Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના માત્ર ર૩ કેસ ૭૬ દર્દીઓ સ્વસ્થઃ ૧ મોત

મોરબી તા.૧૯ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ર૩ કેસો નોંધાયા છે. જયારે ૭૬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે સરકારી ચોપડે એક દર્દીઓનું મોત થયું છે.

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસોમાં ૩ ગ્રામ્ય અને ૧૩ શહેરી વિસ્તારમાં વાંકાનેરના ર કેસોમાં ૧ ગ્રામ્ય અને ૧ શહેરી વિસ્તારમાં હળવદના ર કેસો ગ્રામ્ય પંથકમાં ટંકારાના ર અને માળિયાનો ૧ કેસ મળીને નવા ર૩ કેસ નોંધાયા છે. જીલ્લામાં ૭૬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે એક દર્દીનું મોત થયું છે.

(11:30 am IST)