Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડુ હળવું થતાં કચ્છના કંડલા અને અદાણી મુન્દ્રા બંદરે ૮ નંબરનું સિગ્નલ હટાવી ૩ નંબરનું સિગ્નલ લગાવાયુ

મોડી રાત સુધીમાં બંદરીય કામકાજ શરૂ થઇ જવાની ધારણા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : વાવાઝોડાનું જોર નબળું પડી ગયું છે. એ સંજોગોમાં કચ્છના બે મોટા મહાબંદરો કંડલા અને મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ૮ નંબરનું અતિ ભયજનક સિગ્નલ હટાવી દેવાયુ છે અને ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. લગભગ મોડી સાંજ અથવા તો રાત સુધી બંદર ઉપર વ્યવહાર ધીરે ધીરે પૂર્વવત થઈ જાય તેવી શકયતા છે.

(11:33 am IST)