Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જામનગરમાં કોરોનાના વળતા પાણીઃ ૨૫૦ થી પણ ઓછા કેસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૯: શહેર- જિલ્લામાં ઘણાં દિવસો પછી, કાલે મંગળવારે કોરોના પોઝિટિવનાં ઘણાં ઓછાં કેસ નોંધાયા છે, જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટની પ્રક્રિયા ધીમી પડ્યા નું દેખાય છે. સમગ્ર જિલ્લામાં માત્ર ૨૪૫ કેસ નોંધાયા છે જે પૈકી જામનગર શહેરમાં ૧૭૨ અને ગ્રામ્યમાં માત્ર ૭૩ કેસ નોંધાયા છે.

જામનગર શહેરમાં ૩૪૫ અને ગ્રામ્ય માં ૯૭ મળી કુલ ૪૪૨ દર્દીઓને હોસ્પિટલમાં થી રજા પણ આપવામાં આવી છે. જામનગરમાં સરકારી રેકર્ડ ઉપર ૨૪ કલાકનો મોતનો આંકડો માત્ર ૪ છે. જામનગર શહેરમાં ૧ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩ મોત નોંધાયા છે.

(11:36 am IST)