Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મોરબીમાં દીકરાની બીમારીના ખર્ચથી કંટાળી યુવાનનો આપઘાત

મોરબીમાં દીકરાની બીમારીના ખર્ચથી કંટાળી યુવાનનો આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: મોરબીના પાડાપુલ પર યુવાને પડતું મુકીને આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ હોલ નજીક રહેતા મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.૩૫)નો મૃતદેહ પાડાપુલ નીચે નદીમાંથી મળી આવતા તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો ઘટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસ મથકના આર એમ ઝાલા સહિતની ટીમ દોડી આવી હતી અને બનાવ અંગે વધુ તપાસ ચલાવી હતી તો મૃતક મહેન્દ્રસિંહના દીકરાને બીમારી હોય જેનાં ખર્ચથી કંટાળી અને આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કરી લીધો હોવાની માહિતી તપાસ અધિકારી આર એમ ઝાલા પાસેથી મળી હતી.

(11:37 am IST)