Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

યાત્રધામ વિરપુરમાં તાઉતે વાવઝોડાની અસર અનેક વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ ધરાસાઇ

વિરપુર જલારામ : યાત્રાધામ વિરપુરમાં મોડી રાતે જ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેમને લઇને મેઈન બજારમાં ઉપર બાંધેલ મેટીના ચીથરે હાલ થયા હતા જ્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ જલારામ બાગમાં અનેક વૃક્ષો ધરાસાઈ થયા હતા તેમજ અલગ અલગ રસ્તાઓ પર તેમજ બસ સ્ટેન્ડમાં આવેલ મોટા વૉડિંગ પણ જમીનદોસ્ત થયા હતા, વિરપુરના કાગવડ પાસે આવેલ ધ હેવન વોટરપાર્કમાં પતરા તેમજ ફેન્સી નળીયા ઉડ્યા હતા વાવાઝોડાને લઈને કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ વાવાઝોડા સાથે વરસાદને લઈને ખેડૂતોએ વાવેલ તલ,મગ જેવા પાકોનો સોથ વળી ગયો હતો જેમને કારણે તલ,મગ જેવા પાકોનું વાવેતર કરતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.(તસ્વીર : કિશન મોરબીયા, વિરપુર)

(11:39 am IST)