Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જેતપુરમાં વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયીઃ ખેડુતોના ઉભા પાકને નુકશાન

(કેતન ઓઝા દ્વાર) જેતપુર તા.૧૯ : શહેરમાં વાવાઝોડાની અસરથી ઠેર ઠેર અનેક વૃક્ષો પડી ગયેલ તો ઘણી દુકાનોના છાપરા, બોર્ડ પણ ઉખડી તુટી ગયેલ માસુમ પંખીઓ પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા આજથી બપોર સુધીમાં કુલ પોણા બે ઇંચ વરસાદ પવન સાથે વરસેલ ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડુતોના ખેતરમાં ઉભા પાકને નુકશાન થયેલ હતું.

ખેતરોમાં પાણી ભરાઇ જતા જે ખેડુતો વાવણી કરેલ તે પણ ધોવાઇ ગયેલ જે કે સદનસીબે વાવાઝોડાથી બીજી કોઇ મોટી તારાજી સર્જાઇ ન હતી.

વાવાઝોડાનો પ્રકોપ કેવો હશે શુ પણ તેની બીક સાથે સવાર સુધી ઘણા લોકો જાગ્યા હતા પરંતુ કોઇ મોટી નુકશાની ન થતી હાસકારો અનુભવ્યો હતો.

(12:56 pm IST)