Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગીર સોમનાથમાં ૩૯ કોરોના પોઝીટીવ વેરાવળ સોમનાથ ૧૩ના મૃત્યુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: ગીર સોમનાથ જીલ્લામાં ભારે વાવાઝોડાથી પોઝીટીવ આંક પણ ખુબજ નીચો આવેલ છે પણ મૃત્યુ આંક ઘટતો નથી તેથી ચિંતાજનક બાબત છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવ ૩૯ કેસો આવેલ છે તેમાં વેરાવળ ૧૧, સુત્રાપાડા ૦૩, કોડીનાર ૦૬, ઉના ૧૦, ગીરગઢડા ૦ર, તાલાલા ૦૭ નો સમાવેશ થાય છે તેમજ ર૪ કલાકમાં ૧૩ના મૃત્યુ થયેલ છે હજુ પણ મૃત્યુ આંક ઘટતો નથી તે ચિંતાજનક બાબત છે.

ગીર સોમનાથ જીલ્લામાં ડોકટરો નર્સીગ સ્ટાફ હડતાલ ઉપર ગયેલ છે રાત્રે ૮ વાગ્યા સુધી કોઈ ઉકેલ આવેલ નથી જેથી દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયેલ છે નવા કોઈપણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી ડોકટરે જણાવેલ હતું કે ર૦ મીનીટમાં પ્રશ્ન પુરો થઈ જાય તે ૧ર કલાક સુધી કોઈ ઉકેલ આવેલ નથી ગાંધીનગરમાં બેસેલા પ્રધાનોપાસે કોઈનિર્ણય શકિત નથી દર્દીઓને મોટી હાલાકી સર્જાયેલ હતી.

જુગાર

પ્રભાસપાટણના ડોશીઆબંા વિસ્તારમાં જાહેર જુગાર રમતા હોય તેવી બાતમી મળતા દરોડો પાડતા હુસેન મોહમદભાઈ મોઠીયા,ઈબ્રાહીમ નુરભાઈ ભાદકા,ફારૂકભાઈ સુલેમાનભાઈ ભાદરકા,હારૂનભાઈ દાદાભાઈ કાલાવાત,આમદભાઈ મહમદભાઈ થોબાતને રોકડા રૂ.૧૦૧૯૦ સાથે ઝડપી લીધેલ હતા.

(1:00 pm IST)