Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

હળવદ દુર્ઘટના: જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરાઈ .

હળવદના મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને આમ આદમીએ આવેદનપત્ર આપ્યું

મોરબી: હળવદમાં આજરોજ મીઠા ની કંપનીમાં દિવાલ પડતા 12 લોકોના કરૂણ મોત નિપજ્યા છે ત્યારે આ મામલે મોરબી આમ આદમી પાર્ટીએ પોલીસ ઇન્સ્પેકટર અને મામલતદારને આવેદનપત્ર આપીને જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.

આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, આ કંપનીની એક ઘોર બેદરકારી સામે આવી હોય તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટના બાબતે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરવામાં આવે અને તેની અંદર જે કોઈની બેદરકારી હોય તેવા જવાબદાર વ્યક્તિની સામે એફ,આઇ,આર, કરવામાં આવે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે.
આમ આદમી પાર્ટી દ્વારા આ માંગ સાથે હળવદના મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને આમ આદમી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

(10:08 pm IST)