Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વિરપુર પૂજય જલારામ બાપાના પરિવારના પૂજય રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેન ચાંદ્રાણીનું નિધન

વીરપુરના નાના મોટા વેપારીઓએ પોતાના રોજગાર ધંધાઓ આખો દિવસ બંધ રાખ્યાઃ પૂ. જલારામ બાપાના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૧૯ : સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજય જલારામ બાપાના પરિવારના પૂજય રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેન ચાંદ્રાણીનું ૮૦ વર્ષે નિધન થયું છે. પૂજય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજય રઘુરામબાપાના તેમજ પૂજય ભરતભાઇ ચાંદ્રાણીના કાકીમા છે. અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી.
પૂજય જલારામબાપાના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે ત્યારે વીરપુર ગામના વેપારીઓ પણ સ્વયંભૂ શોકમય રીતે પોતાના વેપાર ધંધાઓ સંપૂર્ણ આખો દિવસ બંધ પાળ્યો હતો.
વૈકુંઠવાસી હેમલતાબેન ચાંદ્રાણીની પ્રાર્થના સભા તા. ર૧-પ-રર ને શનિવારે સાંજે પ-૩૦ વાગ્યે પૂજય જલારામ બાપાની ધર્મશાળા શ્રી જલારામ અતિથી ગૃહ ખાતે રાખેલ છે.
પૂજય બાપાની જગ્યામાં પૂજય જલારામ બાપાના દર્શન તેમજ અન્નક્ષેત્ર ભાવિકો માટે રાબેતા મુજબ ખુલ્લા રહેશે.

 

(12:08 pm IST)