Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

બગસરાના કવિયિત્રી નયનાબેન ગોહિલનો બીજા કાવ્યસંગ્રહ પ્રેમથી પરમનું વડોદરામાં વિમોચન

બગસરા તા.૧૯ : બગસરા ( મેદ્યાણી ) ના વતની અને હાલ નિવૃત્ત્િ। પછીઙ્ગ સાહિત્ય સર્જન મા પ્રવૃત્ત્। થયેલા ને હાલ વડોદરા ખાતે રહેવા છતા બગસરા સાથે હ્રદયનો નાતો ધરાવતા નયનાબેન ગોહિલ-મકવાણા નો કાવ્યસંગ્રહ  પરમ થી પ્રેમ નુ વિમોચન સંપન્ન થયુ હતુ.ઙ્ગસાડત્રીસ વર્ષથી બગસરામાં રહી ને પ્રા. શિક્ષક તરીકેઙ્ગ ફરજ નિભાવી હતી. તેઓ હાલ સારાં વાંચન,લેખન,અને અન્ય સાહિત્યિક પ્રવૃત્ત્િ।ઓમાં હંમેશા સક્રિય રહે છે.બીજું પુસ્તક  પ્રેમથી પરમ..સચિત્ર ગુજરાતીઙ્ગ તાન્કા સંગ્રહનુ હાલમા જઙ્ગ વિમોચન થયું. જાપાનીઝ તાન્કા કાવ્ય પ્રકાર પર રચનાઓઙ્ગ લખાઈ છે અને તમામ રચનાઓના ભાવને અનુરૃપ તસવીર મૂકેલી છે.આ પ્રકારનું સચિત્ર તાન્કા સંગ્રહ ગુજરાતમાં લગભગ સૌ પ્રથમ જ છે.

તેમની કેટલીક સાહિત્ય સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ છે સંવાદ-અમરેલી, સૌરભ સંસ્થાન- રાજુલા, અમરેલી જિલ્લા સા.સર્જક,સાહિત્ય સેતુ રાજકોટ,વેલ વિશર વુમનગૃપ અમદાવાદ, મેદ્યાણી સાહિત્ય વર્તુળ બગસરા,કવિ ખ્વાબ કાવ્યસભા કચ્છ, સંગીતની સંગત ,વાર્તાકલા,અમૃતકાવ્ય રસ,લદ્યુકથા જેવાં સક્રિય ગૃપ સાથે જોડાયેલા છે.ઙ્ગ આ કાવ્યસંગ્રહ નેકવિ લેખકો એ શુભેચ્છા ઓ પાઠવી છે.

(12:16 pm IST)