Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી

'મે મારી પત્નીને ધક્કો મારી દીધો છે' તેવી પોલીસ સમક્ષ ઇમ્તીયાઝ દલાલની કબુલાત

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૯ : ધોરાજીમાં મેમણ પરિણીતાને તેના પતિએ ત્રીજા માળેથી ધક્કો મારી દઇને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા અને કુવૈત ખાતે નોકરી કરતા ઇમ્તીયાઝ દલાલના પત્નિ જીન્નતબેન દલાલ (ઉ.વ.૩૫) ને ત્રીજા માળેથી ધક્કો મારી દઇને ઇમ્તીયાઝ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને 'મે મારી પત્નીને ત્રીજા માળેથી ધક્કો મારી દીધેલ છે' તેમ જણાવતા પોલીસે અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.

ધોરાજીના સ્ટેશન પ્લોટ ખાતે આવેલ ચીત્સીયા કોલોની ખાતે રહેતા અને કુવૈત ખાતે નોકરી કરતા ઇમ્તીયાઝ દલાલ છેલ્લા ૬ માસથી ધોરાજી ખાતે પોતાના પરિવાર સાથે ચીત્સીયા કોલોની ખાતે ૧ પુત્ર અને પતિ અને પત્ની રહેતા હતા અને બીજો પુત્ર હૈદ્રાબાદ ખાતે નોકરી કરે છે અને કોઇપણ કારણસર આજે વહેલી સવારે જીન્નતબેન ઇમ્તીયાઝભાઇ દલાલ (ઉ.૩૫)ની ડેડબોડી ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે લાવતા અને આ અંગે મહિલા પીએસઆઇ નયનાબેને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

(11:06 am IST)