Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના જન્મોત્સવ નિમિતે યજ્ઞ નેજા ઉત્સવ

વિદ્યુતનગરના ભક્તો દ્વારા ઠાકર પૂજા, રાસ, રાત્રે પાટ, પ્રસાદ તેમજ ભજનનું આયોજન

મોરબીના રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માંના સાનિધ્યમાં ભાદરવા સુદ ૧૧ રામદેવપીરના જન્મોત્સવ નિમિતે સવારે યજ્ઞ નેજા ઉત્સવ ઉજવાયો હતો તેમજ બપોરે વિદ્યુતનગરના ભક્તો દ્વારા ઠાકર પૂજા, રાસ, રાત્રે પાટ, પ્રસાદ તેમજ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું

તે ઉપરાંત ભાજપ અગ્રણીઓ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગે સાંજે મહાઆરતી કરાઈ હતી જેમાં જીજ્ઞેશભાઈ કૈલા, માંન્સુખ્બાહી, સરપંચ રાજાભાઈ, રાજુભાઈ, જયંતીભાઈ આદ્રોજા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ મુકેશ ભગતની યાદી જણાવે છે

 

(2:03 pm IST)