Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દરિયા પારના દેશમાં કચેરી ખોલવાની યોજના નથી : અદાણી ગૃપ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા. ૧૯ : અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દુબઇ કે ન્યુયોર્કમાં પરિવારની ઍક કચેરી શરુ કરવા વિચારી રહ્નાનો બ્લુમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હોવાના સમાચારોથી અમે વાકેફ છીઍ. આ દાવો તથ્યહિન છે. ના તો શ્રી અદાણી કે ના તેમના પરિવારની દરિયાપારના દેશમાં કચેરી ખોલવાની યોજના છે અથવા ના તો કોઇ સાથે વાતચીત ચાલી રહી છે. આ વાત સત્યથી વેગળી છે. ઍ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે કે બ્લુમબર્ગના પાયાવિહિન અહેવાલે પ્રચાર માધ્યમોમાં બિનજરુરી અને નિવારવા યોગ્ય ધારણાઓને મોટુ સ્વરુપ આપીને ચગાવી છે ઍમ અદાણી ગૃપના પ્રવક્તાઍ જણાવ્યું છે.

(10:44 am IST)