Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાવનગરની ગુમ સગીરને પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી

ભાવનગર,તા. ૧૯ : ભરતનગર અર્બન પોલીસ સ્‍ટેશનનાં પો ઇન્‍સ બી આર બેરા નાᅠ માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્‍ટેશનનાં એ.એસ.આઈ. હિરણભાઇ બી બારોટ તથા હે.કો.નિર્મળસિંહ ગોહિલ, પો.કો.ખેંગારસિંહ ગોહિલ,મુકેશભાઇ મહેતા, જયેન્‍દ્રસિંહ ચુડાસમા,ફારૂકભાઇ મહિડા, ક્રિપાલસિંહ ગોહિલ તથા મહેશભાઇ રાઠોડ તેમજ અન્‍ય પોલીસ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્‍યાન તરસમીયા રોડ ખારશી વિસ્‍તારમાં રહેતાં અરવિંદભાઇ દેવશીભાઇ રાઠોડએ પોલીસ સ્‍ટેશન ખાતેᅠ આવી હકીકત જણાવેલ કે તેમનો દીકરો તુષાર અરવિંદભાઇ રાઠોડ ( ઉ.વર્ષ ૧૬ ) તેમના ધરેથી ગુમ થયેલ છે તે બાબતની જાણ ભરતનગર પોલીસ સ્‍ટેશનનાં પો.ઇન્‍સ. બી.આર.બેરા ને જણાવતાં પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હોય તેને પો.સ્‍ટે. બોલાવી ગુમ થયેલ બાળક વિશે જરૂરી સુચના કરી તાત્‍કાલિક નેત્ર એન્‍ડ કમાન્‍ડ કંટ્રોલની મદદથી ગુમ થયેલ બાળકને તાત્‍કાલિક શોધી કાઢી તેમનાં પિતાને સોંપી આપેલ.ᅠ

ગુમ થયેલ સગીર મળી આવતાᅠ ભાવવિભોર દ્રશ્‍યો સર્જાયા હતા અને બાળકનાં પિતાએ પોલીસ ઇન્‍સ. બી આર બેરા તથા ભરતનગર પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ ટીમ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

(11:02 am IST)