Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જામજોધપુરઃ બહુજન પાર્ટીમાં સામુહીક રાજીનામા

જામજોધપુર તા. ૧૯ :.. જામજોધપુર - લાલપુર-૮૦ વિધાનસભાના પ્રમુખ પ્રવિણભાઇ સાગઠીયા સહિત ર૯ હોદેદારોએ બહુજન સમાજ પાર્ટીમાંથી રાજીનામા ધરી દીધેલ છે. જેમાં જિલ્લા મહામંત્રી અશોક પરમાર ૮૦ વિધાનસભાના પ્રભારી કેતન નાનવડા તથા લાલપુર તાલુકા પ્રમુખ જામજોધપુર તાલુકા પ્રમુખ શહેર વિધાનસભા ઉપપ્રમુખ તાલુકા ઉપપ્રમુખ સંગઠન મંત્રી સચિવ કોષાધ્‍યક્ષ મહામંત્રી તેમજ તમામ હોદેદારોએ હોદા પરથી રાજીનામા આપેલ છે.

૮૦ લાલપુર વિધાનસભાના પ્રમુખ પ્રવિણભાઇ સાગઠીયાના જણાવ્‍યા અનુસાર બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠનને વિશ્વાસમાં લીધા વગર વિધાનસભાની ટીકીટ ફાળવણી કરી દીધી અને આ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લેતા તમામ હોદેદારો નારાજ રાજીનામા ધરી દીધેલ છે.

(11:57 am IST)