Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જામનગરના જય જેઠવાણી પાસા હેઠળ વડોદરા જેલહવાલે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૯: જામનગરના જય જમનાદાસ જેઠવાણી સિંધી રહે,લાલપુર બાયપાસ, મારૂ કંસારા, હોલ, ખેતલાબાપાની પાછળ, પંચવટી સોસાયટી જામનગરના પાસાહેઠળ વડોદરા જેલહવાલે ધકેલી દીધેલ છે.  પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર (આઇપીએસ) રાજકોટ વિભાગ-રાજકોટનાઓએ વિધાનસભા ચૂંટણી અનુસંધાને જામનગર જીલ્‍લામાં પ્રોહીબુટલેગર્સ તથા અસામાજીક ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, (આઇપીએસ)નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહીબુટલેગર્સ તેમજ અસામાજીક પ્રવૃતિ આચનાર ઇસમો ઉપર પાસા દરખાસ્‍ત તૈયાર કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ.શ્રી જે.વી.ચૌધરીનાઓને સૂચના કરવામાં આવેલ જે અનુસંૅધાને પાસા, દરખાસ્‍ત તૈયાર કરી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ સૌરભ પારધી પાસા વોરંટ ઇસ્‍યુ કરી જે પાસા વોરંટની બજવણી પોલીસ ઇન્‍સ શ્રી જે.વી.ચૌધરીનાઓ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. વિધાનસભા ચૂંટણી અનુસંધાને જામનગર જીલ્‍લામાં પ્રોહીબુટલેર્સ, અસામાજીક પ્રવૃતિ આચરનાર ઇસમોની ગતિવિધી ઉપર એલ.સી.બી દ્વારા સતત વોચ રાખી ૧૧ ઇસમોને પાસા વોરંટ આધારે જેલમાં મોકલી આપવામાં આવેલ છે.

(1:28 pm IST)