Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમરેલીમાં વરસડાના પુલના ખાતમુહૂર્ત મુદ્દે આચારસંહિતા ભંગની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય ચિતલના સુરેશભાઇ ખીમજીભાઇ પાથર વરસડા ગામે નવનિર્મિત મંઘ્રિને હાઇવે સાથે જોડાણપુલનુ ખાતમુહૂર્ત કરવા દરમિયાન કરેલ ભાષણમાં પુલનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત અમરેલીની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ હોવાનું જાહેર કરી મુખ્ય નિર્વાચીન અધિકારી ગુજરાત રાજય સામાન્ય વહીવટી વિભાગના પરીપત્રના જણાવ્યા અનુસાર આદર્શ આચારસંહીતાનો ભંગ કરતા અમરેલી ગ્રામ્ય મામલતદાર યશોધનભાઇ મહેન્દ્રભાઇ જોષીએ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(1:17 pm IST)