Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમરેલીના મોટા કણકોટની સીમમાં પૈસાની લેતીદેતીમાં પરપ્રાંતીયની હત્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: મુળ એમપીના બડીફાટા ચોકીદાર ફળીયુતા ચંદ્રશેખર આઝાદ નગરની નીકરમબેન લાલુભાઇ કટારીયા (ઉવ.૨૧) ને તેના કુંટુંબી પરિવાર સાથે મોટા કણકોટ ગામની સીમમાં કરશનભાઇ પટેલની વાડીએ ખેતરે મજુરી કામે રહેતા હોય ત્યાર. તા. ૮/૧૧/૨૨ના સુરતીયાભાઇ નગરસિંહ કટારીયાના કુટુંબી ભાણેજ ગણકરહિરૃ રહે. બડીફાટા જી. અલીરાજપુરવાળાએ પૈસાની લેતીદેતી પ્રશ્ને માથાકૂટ કરી કરમબેનને માથાના પાછળના ભાગે લાકડી વડે માર મારતા પ્રથમ અમરેલી ખાનગી દવાખાને સારવાર કરાવી પોતાના વતનમાં જતા રહે ત્યારબાદ તેમની તબીયત સારી ન થતા દાહોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તા. ૧૨/૧૧ના ફરજ પરના તબીબે મૃત્યુ પામ્યાનું જાહેર કરતા પોલીસે આ મારામારીના ગુન્હામાં માત્ર અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરેલ છે.

ફરિયાદ

રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના ભોળાભાઇ ઉનડભાઇ વાઘની લુણસાપુર ખાતે આવેલ ખેતીની જમીનમાં લોઠપુર ગામના ભાભા અમરાભાઇ સોલંકી, જાદવ અમરાભાઇ સોલંકીએ વર્ષ ૨૦૦૩થી આજદીન સુધી ગેરકાયદેસર જમીનનો કબ્જો કરી ખાલી નહિ કરી વાવેતર કરી આર્થિક ફાયદો મેળવી ગુન્હો કર્યાની જાફરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(1:24 pm IST)