Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જુનાગઢમાં એસીડ ગટગટાવીને વૃધ્‍ધ મહિલાની આત્‍મહત્‍યા ગોરેજનાં યુવાનનો બિમારીથી કંટાળીને આપઘાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. જુનાગઢનાં લીરબાઇ પટામાં રહેતા રાણીબેન લખમણભાઇ બારૈયા (ઉ.૬પ) એ એસીડ ગટગટાવીને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
મૃતક વૃધ્‍ધાનાં આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. સી ડીવીઝનનાં પીએસઆઇ જે. કે. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.
મોત
માંગરોળનાં ગોરેજ ગામના નયનભાઇ દેવાભાઇ સોલંકી (ઉ.વ.૩પ) એ માનસીક બિમારીથી કંટાળીને ઝેરી ટીકડા ખાયને આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.

 

(11:22 am IST)