Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

માણાવદર પંથકની પરિણીત યુવતિ પર નરાધમનુ દુષ્‍કર્મ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: માણાવદર પંથકની પરિણીત યુવતિ પર માંડોદરાના નરાધમે દુષ્‍કર્મ આચરી ધમકી આપી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

માણાવદર વિસ્‍તારની એક ૨૧ વર્ષીય પરિણીતા બે વર્ષ અગાઉ તેના ઘરે એકલી હતી ત્‍યારે માંડોદરા ગામનો ભાવેશ સવદાસ પરમાર નામનો આવી ચડયો હતો.

બાદમાં આ ઇસમે રૂમનો દરવાજો બંધ કરી પરિણીતા પર દુષ્‍કર્મ કર્યુ હતુ.

આ પછી પરિણીતાને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર ભાવેશે દુષ્‍કર્મ કર્યુ હતુ.

આખરે પરિણીતાએ વાઝ આવી જઇને ફરીયાદ કરતા માણાવદરના પી.એસ.આઇ કે.બી.લાલકાએ તપાસ હાથ ધરી છે.

(10:44 am IST)