Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

૧૮૭૯ બાદ ફરી બરડા અભ્‍યારણ્‍યમાં નર સિંહ દેખાયો

એશિયાટીક સિંહોએ હવે પોરબંદર નજીક પોતાનુ નવુ અને બીજુ ઘર શોધી લીધુઃ રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: બરડા વન્‍યજીવ અભયારણ્‍યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે, ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્‍યજીવ અભયારણ્‍યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્‌ ૧૮૭૯માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્‍યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્‍ય અને રાષ્‍ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્‍ય અને રાજ્‍યસભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ જણાવ્‍યું હતું.

શ્રી નથવાણીએ માહિતી આપી હતી કે લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્‍યુઆરી ૧૮, ૨૦૨૩ના રોજ બરડા અભયારણ્‍યમાં પ્રવેશ્‍યો હતો. આ સિંહ પોરબંદર વન્‍યજીવ વિભાગની રાણાવાવ રેન્‍જમાં રાણાવાવ રાઉન્‍ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્‍ટોબર ૩, ૨૦૨૨ના રોજ પોરબંદર વન્‍યજીવ વિભાગના માધવપુર રાઉન્‍ડમાં જોવામાં આવ્‍યો હતો. દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્‍યા બાદ આ નર સિંહ બરડા વન્‍યજીવ અભયારણ્‍યમાં પ્રવેશ્‍યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્‍ટોબર ૨૯, ૨૦૨૨ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્‍યો હતો, એમ શ્રી નથવાણીએ ઉમેર્યું હતું.

નોંધપાત્ર છે કે પ્રોજેક્‍ટ લાયનઃ લાયનક્‍૪૭ વિઝન ફોર અમળતકાલ' દસ્‍તાવેજ અનુસાર, વાઇલ્‍ડલાઇફ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ઇન્‍ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્‍યજીવ અભયારણ્‍યની એવા સંભવિત સ્‍થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે જ્‍યાં ૪૦ વયસ્‍ક અને સબ-વયસ્‍ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરીયાકાંઠાના જંગલોમાં રહી શકે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગિરના સિંહોના મહત્‍વને જાણ્‍યું હતું અને આ કિમતી વન્‍યજીવની સમળધ્‍ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્‍યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્‍યજીવ અભયારણ્‍યમાં પહોંચ્‍યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્‍થાનિક સમુદાયોની સંયુક્‍ત દેખરેખ હેઠળ થયેલા સિંહના  કુદરતી અને આપમેળે જ થયેલાં સ્‍થળાંતરને પ્રોજેક્‍ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્‍સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે, એમ સાંસદ (રાજ્‍યસભા) અને ડાયરેક્‍ટર- કોર્પોરેટ અફેર્સ, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના પરિમલ નથવાણીએ જણાવ્‍યું હતું.

આપણાં સિહોંની ભલાઈ માટે એટલાં જ આતુર અને ચિંતાતુર ગુજરાતના માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પણ ફોરેસ્‍ટર અને વન્‍યજીવ પ્રેમીઓ માટે મોટીવેશન અને પ્રોત્‍સાહનનાસ્ત્રોત છે, એમ શ્રી નથવાણીએ ઉમેર્યું હતું.

શ્રી નથવાણીએ ઉમેર્યું હતું કે, ‘બરડા વન્‍યજીવ અભાયરણ્‍યને એશિયાટીક સિંહોના બીજા ઘર તરીકે વિકસાવવા માટે અમારા તરફથી જે પણ મદદની જરૂરી હોય તે પૂરી પાડવા માટે હું તૈયાર છું.'

ગુજરાત રાજ્‍યના વન વિભાગે બરડા વન્‍યજીવ અભયારણ્‍યને એશિયાટિક સિંહો માટેના બીજા ઘર તરીકે ઓળખ કરી છે, જ્‍યાં કુદરતી રીતે છૂટા પડીને સિંહો સ્‍થાપિત થશે. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, ગીરના ઘણાં વિસ્‍તારો સાથે ઇકો-ક્‍લાયમેટીક અને માનવ સમુદાયની સમાનતા બરડા વન્‍યજીવ અભયારણ્‍યને એશિયાટીક સિંહો માટે સાનુકૂળ ઘર બનાવે છે.

સિંહની તેમના બીજા ઘર તરફનું કુદરતી સ્‍થળાંતર ઐતિહાસિક ઘટના છે અને બરડા વન્‍યજીવ અભયારણ્‍યના સમાન સાનુકૂળ વાતાવરણમાં આ રાજવી -ાણીની વધતી જતી સંખ્‍યાને રહેઠાણ પૂરું પાડવા તરફનો માર્ગ મોકળો કરશે, જ્‍યાં છેલ્લે તેમની હાજરી ૧૮૭૯માં નોંધાઈ હતી.

(11:16 am IST)