Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કચ્‍છના કકરવા ગામે અજ્ઞાત રોગથી ૫૦૦ ઘેટાઓના ટપોટપ મોત : માલધારીઓમાં ચિંતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : કચ્‍છના ભચાઉ તાલુકાના કકરવા ગામે છેલ્લા ૧૫ દિવસથી ઘેટાંઓમાં અજ્ઞાત રોગે મોતનું તાંડવ સજર્યું છે. લગભગ સાતેક રબારી પરિવારોના ૫૦૦ જેટલા ઘેટાંઓનો ભોગ અજ્ઞાત રોગે લીધો છે.

માલધારીઓની વ્‍યથા અને ચિંતા છે કે મોંઘુ પશુધન બચાવવું કેમ? અંદાજિત એક ઘેટાં ના ૬૦૦૦ રૂ. લેખે ૩૦ લાખથી પણ વધુ આર્થિક નુકસાન વેઠવું પડયું છે.ᅠ સરકાર અને સંસ્‍થાઓ મદદે આવે એવું માલધારીઓ ઈચ્‍છી રહ્યા છે. તો, જેમનું પશુધન મોતના મુખમાં ગયું છે એમને આર્થિક સહાય પણ મળે એવી રજૂઆત છે.

(11:32 am IST)