Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

૨૮ મીએ શનિવારના રોજ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરે, સાળંગપુરમાં ‘‘ભવ્‍ય શાકોત્‍સવ'' યોજાશે

વાંકાનેર,તા.૨૦ : બોટાદ જિલ્લાના વિશ્વ વિખ્‍યાત એવા સાળગપુરધામમા બિરાજમાન સૌનું આસ્‍થાનું  પ્રતીક કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાના પાવન સાનિધ્‍યમાં અને પ.પુ. ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના પાવન સાનિધ્‍યમાં અને શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી તથા કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ :૨૮ / ૧ / ૨૩ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્‍યાન ભવ્‍ય શાકોત્‍સવ નું આયોજન કરવામાં આવેલ છે જે  પ્રંસગે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન પુ આચાય  રાકેશ પ્રસાદ મહારાજશ્રીના આશીર્વાદ  પ્રવચન તેમજ સંતોના દર્શન સત્‍સંગ પ્રવચનનો લાભ મળશે અને ૬ થી ૭ દરમ્‍યાન ભવ્‍ય શાકોત્‍સવમા હજારો ભાવિકો દાદાના દરબારમા શાકોત્‍સવનો પ્રસાદ લેશે તેમજ દાદાના નિજ મંદિરમા અનોખા દિવ્‍ય શણગાર દર્શન કરવામાં આવશે સર્વ ભાવિકોને પધારવા શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી, કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી તથા પૂજારી સ્‍વામીશ્રી ડી, કે, સ્‍વામીજી દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.

(12:09 pm IST)