Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જૂનાગઢ હીરાદીપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પંખી સારવાર કેન્‍દ્ર

 જૂનાગઢ : મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ચગાવવાનો  રિવાજ હોય ત્‍યારેના દોરાથી અનેક પંખીઓ  ઇજા થતી હોવાના કિસ્‍સાઓ બનતા હોય છે ત્‍યારે જૂનાગઢમાં જીવ દયા પ્રેમી દ્વારા   ઇજાગ્રસ્‍ત પંખીઓ માટે હીરાદીપ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શીતલબેન જોશી, ઉપપ્રમુખ કલ્‍પનાબેન જોશી તેમજ જાનવીબેન જોષી, હિતેષભાઇ જોષી, સુરેશભાઇ, વિપુલભાઇ, પોપટ હર્ષદભાઇ, જયશ્રીબેન, નેહાબેન  સહિતના કાર્યકર્તા તેમજ ડોક્‍ટરની ટીમે વિશેષ સારવાર કેન્‍દ્ર ઉભા કરાયા હતા જૂનાગઢ શહેરના આઝાદ ચોક તેમજ દિવાન ચોક, બેંક ઓફ ઇન્‍ડિયા પાસે તેમજ જોષીપરા   ખાતે પંખીઓનું સારવાર કેન્‍દ્ર ઊભું કરાયું હતું. જેમાં ઈજાગ્રસ્‍ત પંખીઓને તાત્‍કાલિક ધોરણે ત્‍યાં જ સારવાર આપવામાં આવી હતી. જીવ દયા પ્રેમીઓ દ્વારા આ કેન્‍દ્ર ખાતે અનેક  પંખીઓના જીવ બચાવાયા હતા.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:54 am IST)