Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કાલે જુનાગઢ જિલ્લા માધ્‍યમીક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયાનું સન્‍માન

જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓ એસ તથા એડીઆઇનો વિદાય સમારંભ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : જુનાગઢ જિલ્લા માધ્‍યમીક શિક્ષક સંઘ દ્વારા આગામી તા.ર૧ને શનિવારના રોજ સાંજે ૪ કલાકે એન.બી. કાંબલીયા કન્‍યા વિદ્યાલય ખાતે નવનિયુકત ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયાનો સન્‍માન સમારોહ તેમજ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના  ઓ.એસ.સાપરીયાબેન તેમજ એડીઆઇ કે.વી.ઝાલાનો વિદાય સમારંભ રાખેલ છે.

આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાના તમામ શિક્ષક મિત્રોએ ઉપસ્‍થિત રહેવા સંઘના પ્રદેશ પ્રમુખ નિલેશભાઇ સોનારાએ જણાવ્‍યું છે. તેમજ સફળ બનાવવા નિલેશભાઇ સોનારા તેમજ રાજેશભાઇ શર્મા અશ્વિનભાઇ ચાવડા અને તેની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(1:42 pm IST)