Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સાવરકુંડલા વ્‍યાયામ મંદિરમાં મહારાજા શ્રી કળષ્‍ણકુમારસિંહજી ગોહિલની પ્રતિમા મુકવા રામદેવસિહની રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૦: શહેરમાં આવેલ શ્રી કળષ્‍ણકુમારસિંહજી વ્‍યાયામ મંદિરના પરિસરમાં ભાવનગર સ્‍ટેટના મહારાજા નેક નામદાર શ્રી કળષ્‍ણકુમારસિંહજી ગોહિલની પૂર્ણ કદની પ્રતિમાની સ્‍થાપના કરવા રજૂઆત કરવામાં આવી. રાજાશાહી વખતમાં સાવરકુંડલા ના યુવાનોને શારીરિક રીતે ખડતલ બનાવવા શહેરની મધ્‍યમાં આવેલ આ અતિ કિંમતી જમીન ભાવનગર મહારાજા સાહેબે અર્પણ કરેલ હતી. આજે આ જગ્‍યા શ્રી કળષ્‍ણકુમારસિંહજી વ્‍યાયામ મંદિર ટ્રસ્‍ટ સંચાલિત છે જેના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી વિનુભાઈ રાવળને મહારાજા સાહેબ શ્રી કળષ્‍ણકુમારસિંહજી ગોહિલની પૂર્ણ કદની પ્રતિમા સ્‍થાપવા ગુજરાત રાજપૂત યુવા સંઘ સાવરકુંડલાના પ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી. પ્રાતઃ સ્‍મરણીય મહારાજા શ્રી કળષ્‍ણકુમારસિંહજી ગોહિલ નું ભારતમાં લોકશાહી સ્‍થાપવા મહત્‍વની યોગદાન રહેલ છે જેને સમગ્ર ભારત દેશ માન અને આદરની દ્રષ્ટિથી જોવે છે તેવા મહારાજા સાહેબને આ સંસ્‍થામાં અભ્‍યાસ કરતા અને વ્‍યાયામ કરતાં યુવાનો તથા વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુથી આ પ્રતિમાના સ્‍થાપનાની રજૂઆત કરવામાં આવી છે

(2:59 pm IST)