Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળની મુલાકાતે ડો. ગોઢાણીયા બીએડ કોલેજની છાત્રાઓ

પોરબંદર,તા.૨૦ : ડો. ગોઢાણિયા બીએડ કોલેજની વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળની મુલાકાત લઇને સંસ્‍થાની કામગીરી વિશે જાણકારી મેળવી હતી.

ડો. વી. આર. ગોઢાણીયા બી.એડ કોલેજના તાલીમાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળની મુલાકાત લીધી હતી  સંસ્‍થાના મેનજીંગ ટ્રસ્‍ટી કમલેશભાઇ ખોખરીએ સૌપ્રથમ તાલીમાર્થીઓને સંસ્‍થાના ઇતિહાસ  સંસ્‍થામાં ચાલતી અલગ અલગ  પ્રવૃતિ વગેરે જેવી માહિતી આપી.

સંસ્‍થામાં ધો.-૧ થી ૮નો અભ્‍યાસ, સંગીત કલાસ વગેરે શિક્ષણ આપવામાં આવે છે. ૬૩ વર્ષથી  આ સંસ્‍થા કાર્યરત છે. સંસ્‍થામાં હોસ્‍ટેલ, ભોજનાલય વગેરે સુવિધાઓ છે. તાલીમઆર્થીઓએ સંસ્‍થાની પ્રત્‍યક્ષ મુલાકાત લઇ પ્રજ્ઞાચક્ષુઓ કઇ રીતે બ્રેઇનલીપીના માધ્‍યમથી શિક્ષણ મેળવે તે અંગેનું જ્ઞાન પણ મેળવ્‍યું હતું. જેના દ્વારા તાલીમાર્થીઓ અભ્‍યાસક્રમના મુદ્દાઓને પ્રત્‍યક્ષ મુલાકાત દ્વારા શીખ્‍યા હતા.

(2:49 pm IST)